2026 માં આવનારી TET અને TAT પરીક્ષાને અનુલક્ષીને મૂલ્યાંકન પદ્ધતિઓ વિશે 80 MCQ સાથે
મૂલ્યાંકન પદ્ધતિઓ અને માપન
TET-1 | TET-2 | TAT (પરીક્ષા લક્ષી સંપૂર્ણ માર્ગદર્શન)
1. પરીક્ષામાં માર્ગદર્શન (Weightage)
TET/TAT એક્ઝામમાં મૂલ્યાંકન ટોપિકમાંથી 3 થી 5 પ્રશ્નો પૂછાય છે. પ્રશ્નો આ રીતે હોય છે:
- વ્યાખ્યા આધારિત: મૂલ્યાંકન એટલે શું?
- પ્રકાર આધારિત: સત્રાંત પરીક્ષા એ કયું મૂલ્યાંકન છે?
- CCE: પૂરું નામ અને હેતુ.
- આદર્શ કસોટી: વિશ્વસનીયતા અને યથાર્થતા વચ્ચેનો તફાવત.
2. માપન અને મૂલ્યાંકન (Measurement vs Evaluation)
ઘણીવાર આપણે માપન અને મૂલ્યાંકનને એક જ સમજીએ છીએ, પણ તેમાં તફાવત છે.
- માપન (Measurement): આંકડાકીય માહિતી. દા.ત. રામને ગણિતમાં 80 માર્ક્સ આવ્યા. (ફક્ત માપ).
- મૂલ્યાંકન (Evaluation): માપન + મૂલ્ય નિર્ણય. દા.ત. 80 માર્ક્સ આવ્યા એટલે રામ ગણિતમાં 'હોશિયાર' છે.
- સૂત્ર: મૂલ્યાંકન = માપન + મૂલ્ય નિર્ણય.
3. મૂલ્યાંકનના પ્રકારો
શિક્ષણમાં મૂલ્યાંકન મુખ્યત્વે ત્રણ પ્રકારે થાય છે:
| પ્રકાર | ક્યારે લેવાય? | હેતુ |
|---|---|---|
| રચનાત્મક (Formative) | શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે (એકમ કસોટી) | વિદ્યાર્થીની પ્રગતિ જાણવા અને સુધારવા. |
| સર્વગ્રાહી (Summative) | સત્ર કે વર્ષના અંતે (વાર્ષિક પરીક્ષા) | પરિણામ જાહેર કરવા અને પ્રમાણપત્ર આપવા. |
| નિદાનાત્મક (Diagnostic) | જ્યારે બાળક શીખવામાં પાછળ પડે | કચાસ (કારણો) શોધવા માટે. |
4. CCE (સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન)
પૂરું નામ: Continuous and Comprehensive Evaluation.
- સતત: માત્ર પરીક્ષા સમયે નહીં, પણ આખું વર્ષ મૂલ્યાંકન ચાલુ રહે.
- સર્વગ્રાહી: પુસ્તકિયા જ્ઞાન (શૈક્ષણિક) ની સાથે રમતગમત, કળા, વર્તન (સહ-શૈક્ષણિક) નું પણ મૂલ્યાંકન.
- RTE-2009: કલમ 29 મુજબ CCE ફરજિયાત છે.
5. આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો (IMP Topic)
એક સારા ટેસ્ટમાં કયા ગુણો હોવા જોઈએ? આમાંથી 100% પ્રશ્ન આવે છે.
(A) વિશ્વસનીયતા (Reliability):
એકનું એક પેપર ફરીવાર લેવામાં આવે અને ગુણમાં ખાસ ફેરફાર ન થાય તો તે વિશ્વસનીય કહેવાય. (ગુણમાં સાતત્ય).
(B) યથાર્થતા (Validity):
જે હેતુ માટે કસોટી લેવાઈ હોય તે હેતુ સિદ્ધ થવો જોઈએ. દા.ત. ગણિતના પેપરમાં ભાષાકીય અઘરા શબ્દો ન હોવા જોઈએ, નહીંતર ગણિતનું જ્ઞાન નહીં પણ ભાષાનું જ્ઞાન મપાય.
(C) વસ્તુલક્ષિતા (Objectivity):
પેપર તપાસનાર બદલાય પણ માર્ક્સ ન બદલાય. (પરીક્ષકનો પૂર્વગ્રહ ન નડે).
"ફરી ફરી લ્યો તો પણ માર્ક્સ રહે એના એ (વિશ્વસનીયતા),
હેતુ પાર પાડે તો કહેવાય યથાર્થતા,
સાહેબ બદલાય પણ માર્ક્સ ન બદલાય (વસ્તુલક્ષિતા),
સરળતાથી લેવાય તો કહેવાય ઉપયોગિતા!"
6. બ્લૂમની ટેક્સોનોમી (Bloom's Taxonomy)
બેન્જામિન બ્લૂમે શિક્ષણના હેતુઓને 3 ક્ષેત્રમાં વહેંચ્યા છે (3H):
- જ્ઞાનાત્મક (Cognitive) - Head: વિચારવું, જ્ઞાન, સમજ.
- ભાવાત્મક (Affective) - Heart: લાગણી, મૂલ્યો, રસ.
- ક્રિયાત્મક (Psychomotor) - Hand: કૌશલ્ય, શારીરિક ક્રિયા.
🎯 મૂલ્યાંકન ચેલેન્જ (80 MCQs)
તમારી તૈયારી ચકાસવા માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો.