રથમંદિરો, મંદિર સ્થાપત્ય અને ગોપુરમ સ્થાપત્ય 30 MCQ સાથે
ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય
1 રથ મંદિરો (Chariot Temples)
દક્ષિણ ભારતમાં એક જ પથ્થર કે ખડકમાંથી કોતરીને બનાવેલા મંદિરો એટલે રથ મંદિરો. આ કલા પલ્લવ રાજાઓ ના સમયમાં ખૂબ વિકસી હતી.
- મહાબલિપુરમ: પલ્લવ વંશના રાજા 'નરસિંહવર્મન પ્રથમ' એ મહાબલિપુરમમાં આ રથ મંદિરો બંધાવ્યા હતા.
- દરેક રથ મંદિર એક જ ખડક કાપીને બનાવાયું છે.
- આ રથોના નામ પાંડવો ના નામ પરથી રાખવામાં આવ્યા છે.
- કુલ 7 રથ મંદિરો હતા (જેમાંથી કેટલાક આજે જળમગ્ન છે).
• સૌથી મોટું રથ મંદિર: ધર્મરાજ (યુધિષ્ઠિર) નું
• સૌથી નાનું રથ મંદિર: દ્રૌપદી નું
2 મંદિર સ્થાપત્ય (Temple Architecture)
પ્રાચીન સમયમાં મંદિરો ઊંચી પીઠિકા (ઓટલા) પર સીડીઓવાળા બનાવવામાં આવતા હતા. કેટલાક મંદિરો સપાટ પણ હતા.
મંદિરના મુખ્ય ભાગો સમજો:
- ગર્ભગૃહ (Garbhagriha): મંદિરનો એવો અંધકારમય ઓરડો જેમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. તેને ભદ્રપીઠ પણ કહેવાય છે.
- વિમાન (Vimana): ગર્ભગૃહની ઉપર આવેલા પિરામિડ (ત્રિકોણ) આકારના ઊંચા ભાગને 'વિમાન' કહે છે. તેની ટોચ પર કળશ મુકાય છે.
- મંડપ (Mandapa): ગર્ભગૃહની બહાર ઊભા કરેલા વિશાળ હોલ કે કક્ષને મંડપ કહે છે, જ્યાં ભક્તો ઉભા રહે છે.
- શિખર (Shikhara): ગર્ભગૃહના સૌથી ઊંચા બાહ્ય ભાગને શિખર કહેવાય છે.
- જબલપુરનું ભૂમરાનું શિવમંદિર અને બીજાપુરનું લારખાનનું મંદિર.
- બૃહદેશ્વર મંદિર: ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે થંજાવુર (તામિલનાડુ) માં આ મંદિર બંધાવ્યું હતું. તે 200 ફૂટ ઊંચું છે અને પ્રાચીન ભારતનું અજોડ સ્થાપત્ય છે.
3 ગોપુરમ સ્થાપત્ય (Gopuram)
ગોપુરમ એટલે 'મંદિરનું પ્રવેશદ્વાર' (Gateway of the Temple). દક્ષિણ ભારતના પાંડ્ય રાજાઓએ આ સ્થાપત્યને વેગ આપ્યો.
પાંડ્ય રાજાઓએ મંદિરની બહાર ઊંચી દીવાલો અને અત્યંત ઊંચા, કલાત્મક અને સુશોભિત દરવાજાઓ બનાવડાવ્યા, જેને 'ગોપુરમ' કહે છે.
- સમય જતા દક્ષિણ ભારતમાં મંદિરો કરતાં તેના ગોપુરમ વધુ સુંદર અને ઊંચા બનવા લાગ્યા.
- કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.
- મદુરાઈનું મીનાક્ષી મંદિર: આ મંદિરને 4 ભવ્ય ગોપુરમ છે.
- કોણાર્કનું સૂર્યમંદિર: ઓડિશા રાજ્યમાં આવેલું આ મંદિર 'રથ મંદિર' નું જ એક અદભુત સ્વરૂપ છે, જેને 7 ઘોડા ખેંચતા હોય તેવો આકાર અપાયો છે. (તેને 'કાળા પેગોડા' પણ કહે છે).
"પલ્લવે બનાવ્યા રથ સાત, ધર્મરાજ મોટો ને દ્રૌપદી નાની વાત.
ગર્ભગૃહમાં પ્રભુ બિરાજે, બહાર મંડપ ભક્તોથી ગાજે.
ચોલ રાજાનું બૃહદેશ્વર મોટું ધામ, પાંડ્ય રાજાએ આપ્યું 'ગોપુરમ' નામ!"
સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (30 પ્રશ્નો)
નીચેના પ્રશ્નોના સાચા જવાબ પસંદ કરો.