ગરીબી થવાના કારણો અને ગરીબી નિવારણની વ્યુહરચના MCQ સાથે
ગરીબીના કારણો અને નિવારણ
1 ગરીબી ઉદ્ભવવાના કારણો (Causes)
ભારતમાં ગરીબીના મૂળિયાં ખૂબ ઊંડા છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
(A) કૃષિ અને ગ્રામીણ કારણો
- વરસાદ પર આધાર: ખેતી વરસાદ પર આધારિત હોવાથી અને સિંચાઈની સગવડના અભાવે ખેતીની આવકમાં ઘટાડો થયો છે.
- વૈકલ્પિક રોજગારીનો અભાવ: ગામડામાં ખેતી સિવાયના સમયમાં (ચોમાસા સિવાય) બીજા ઉદ્યોગો ન હોવાથી બેકારી વધે છે.
- જ્ઞાનનો અભાવ: ખેડૂતોમાં શિક્ષણ, તાલીમ અને ટેકનોલોજીના જ્ઞાનનો અભાવ હોવાથી ઉત્પાદન ઓછું થાય છે.
(B) સામાજિક કારણો
- રૂઢિ અને પરંપરા: જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ પાછળ ગજા બહારનો ખર્ચ કરવાથી લોકો દેવાદાર બને છે. આમ, બિનઉત્પાદકીય ખર્ચ વધે છે.
- નિરક્ષરતા: શિક્ષણના અભાવે ગરીબોનું શોષણ થાય છે અને સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી.
(C) આર્થિક કારણો
- ભાવવધારો: વસ્તુઓના ભાવ વધે છે પણ આવક વધતી નથી, તેથી ખરીદશક્તિ ઘટે છે.
- ટેકનોલોજીમાં ફેરફાર: પરંપરાગત વ્યવસાયો (જેમ કે લુહાર, સુથાર) બંધ થતા કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા છે, જે બેકારી વધારે છે.
(કૃષિ સમસ્યા + નિરક્ષરતા + સામાજિક ખર્ચ = ગરીબી).
2 ગરીબી નિવારણની વ્યુહરચના (Strategies)
ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે પંચવર્ષીય યોજનાઓમાં નીચે મુજબની વ્યુહરચના અપનાવી છે:
(1) કૃષિ ક્ષેત્રે વિકાસ (Agriculture Focus)
ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી સૌથી પહેલું ધ્યાન ખેતી પર આપવામાં આવ્યું.
- હરિયાળી ક્રાંતિ: સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર અને સિંચાઈની સગવડ વધારીને ખેત ઉત્પાદન વધારવામાં આવ્યું.
- જમીન સુધારણા: 'જમીન ટોચ મર્યાદા' ધારો અને 'ગણોત ધારો' લાવીને જમીન વિહોણા ખેડૂતોને જમીનનો હક આપ્યો.
- હેતુ: ખેડૂતોની આવક વધે તો ગરીબી આપોઆપ ઘટે.
(2) નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ (Small Industries)
સરકારે મોટા ઉદ્યોગોની સાથે નાના (MSME) અને ગૃહ ઉદ્યોગો (Cottage Industries) ને પ્રોત્સાહન આપ્યું.
- આ ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ લોકોને રોજગારી આપે છે.
- પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરીને ગ્રામીણ લોકોને વૈકલ્પિક રોજગારી પૂરી પાડી.
(3) પાયાની જરૂરિયાતો અને સામાજિક સુરક્ષા
ગરીબોને સીધી મદદ મળી રહે તે માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી.
- PDS (જાહેર વિતરણ વ્યવસ્થા): 'સસ્તા અનાજની દુકાનો' (Ration Shops) દ્વારા ગરીબોને રાહત દરે અનાજ, ખાંડ અને તેલ પૂરું પાડવામાં આવે છે.
- આવાસ યોજના: ગરીબોને પાકા મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના.
- શિક્ષણ અને આરોગ્ય: મફત શિક્ષણ (RTE) અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થયો.
પાંચમી પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
3 રોજગારલક્ષી કાર્યક્રમો (Employment Schemes)
ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. તેથી સરકારે રોજગારી વધારવા માટે અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે:
- મનરેગા (MNREGA): ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારીની બાંહેધરી.
- મિશન મંગલમ: મહિલાઓને સ્વ-સહાય જૂથો (Sakhi Mandal) દ્વારા રોજગારી.
- કૌશલ્ય વિકાસ: યુવાનોને તાલીમ આપીને (Skill India) ઉદ્યોગો માટે તૈયાર કરવા.
R - Ration (સસ્તું અનાજ)
A - Agriculture (ખેતી વિકાસ)
R - Rozgar (રોજગારી)
E - Education (શિક્ષણ)
સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (30 પ્રશ્નો)
નીચેના પ્રશ્નોના સાચા જવાબ પસંદ કરો.