ભારતની ભૂમિ અને તેના લોકો તથા વારસાનું જતન અને તેનું સરક્ષણ
ભારત ભૂમિ અને તેના લોકો
પ્રાચીન ભારતમાં આવનારી પ્રજાઓ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ. દ્રવિડોને આપણે મૂળ પ્રજા માનતા હતા, પણ સંશોધનો કહે છે કે દ્રવિડો પહેલા પણ બીજી 6 જેટલી ભિન્ન પ્રજાઓ ભારતમાં રહેતી હતી.
1 નેગ્રીટો (હબસી) - Negrito
ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ.
શારીરિક વિશેષતા:
- વર્ણે શ્યામ (કાળા).
- 4 થી 5 ફૂટ ઊંચા.
- માથે વાંકડિયા વાળ.
2 ઓસ્ટ્રેલોઈડ (નિષાદ) - Austric
આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી. આર્યો તેમને 'નિષાદ' કહેતા હતા.
શારીરિક વિશેષતા:
- રંગે શ્યામ.
- લાંબુ અને પહોળું માથું.
- ચપટું નાક અને ટૂંકું કદ.
આજે ક્યાં જોવા મળે? ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા અને નિકોબારમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે.
3 દ્રવિડ (Dravidian)
દ્રવિડો મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગના સીધા વારસદાર મનાય છે.
- તેમણે માતા રૂપે દેવી (પાર્વતી) અને પિતૃ રૂપે પરમાત્મા (શિવ) નો ખ્યાલ આપ્યો.
- પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા તેમની ભેટ છે.
- ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પ્રથા તેમણે આપી.
- સ્થળાંતર: આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારતમાં ખસતા ગયા. આજે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા બોલતા લોકો દ્રવિડ છે.
4 અલ્પાઈન, ડીનારિક અને આર્મેનોઈડ
આ ત્રણેય જાતિઓ એકસમાન ભૌતિક લક્ષણો ધરાવે છે.
- આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે.
- ગુજરાતમાં આ પ્રજાનું પ્રમાણ વિશેષ છે.
5 મોંગોલોઈડ (કિરાત) - Mongoloid
આ પ્રજા ઉત્તર ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો.
શારીરિક વિશેષતા:
- વર્ણ: પીળો.
- ચહેરો: ચપટો.
- ગાલ: ઉપસેલા.
- આંખો: બદામ આકારની.
મોંગોલોઈડ લોકો પીળા વર્ણના હોવાથી તેમને 'કિરાત' તરીકે પણ ઓળખવામાં આવતા.
6 આર્યો (નોર્ડિક) - Aryans
ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આ પ્રજા હતી. પ્રાચીન કાળમાં હિન્દુઓ 'આર્ય' કહેવાતા.
- આર્યો અન્ય પ્રજા કરતા વધુ વિકસિત હતા.
- તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. (વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદની પૂજા કરતા).
- તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ (ઋચાઓ) રચી હતી.
- સમય જતા વેદપઠન અને યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ.
- ભારતની ભવ્ય સંસ્કૃતિના નિર્માણમાં આર્યોનો ફાળો મુખ્ય છે.
7 વારસાનું જતન અને સંરક્ષણ
ભારતનો વારસો અમૂલ્ય છે, પણ તેને કુદરતી અને માનવસર્જિત પરિબળો નુકસાન પહોંચાડી રહ્યા છે. તેનું રક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે.
બંધારણીય ફરજો (કલમ 51-ક):
ભારતના બંધારણના અનુચ્છેદ 51(ક) માં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે, જેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6, 7, 9) વારસાને લગતી છે:
- (છ) - 6: આપણી સમન્વયિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી.
- (જ) - 7: જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને જીવો પ્રત્યે દયા રાખવી.
- (ટ) - 9: જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો.
"કલમ એકાવન-ક કહે છે સાંભળો,
છ, સાત, નવ ની ફરજ પાળો.
વારસો સાચવો, પર્યાવરણ બચાવો,
હિંસા છોડીને મિલકત ટકાવો!"
સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (30 પ્રશ્નો)
નીચેના પ્રશ્નોના સાચા જવાબ પસંદ કરો.