કૃષિ માટે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા 30 MCQ સાથે
કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા
તફાવત સમજો:
- ટેકનિકલ સુધારા: સાધનો, બિયારણ અને ખાતરમાં આવેલો બદલાવ (મશીનરી).
- સંસ્થાકીય સુધારા: સરકાર દ્વારા કાયદા, લોન અને માલિકી હકમાં કરેલા ફેરફાર (નિયમો).
A ટેકનિકલ સુધારા (Technical Reforms)
પહેલાં ખેડૂત કોસ અને રહેંટ વાપરતો હતો, હવે સબમર્સિબલ પંપ વાપરે છે. આ ટેકનિકલ સુધારો છે.
- સિંચાઈ: કોસ-રહેંટની જગ્યાએ સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલાર પંપ અને ટપક સિંચાઈ પદ્ધતિ આવી.
- ખાતરો: રાસાયણિક ખાતરો જેવા કે ડી.એ.પી. (D.A.P.), એન.પી.કે. (N.P.K.) અને યુરિયા વપરાતા થયા. સાથે 'બાયો ફર્ટિલાઈઝર' પણ આવ્યા.
- બિયારણ: સુધારેલા બિયારણો અને હાઈબ્રીડ બિયારણોનો ઉપયોગ વધ્યો.
- માહિતી: ખેડૂતોને મોબાઈલ પર 'કિસાન SMS', ટોલ ફ્રી નંબર 1800-180-1551 (કિસાન કોલ સેન્ટર) અને સરકારની 'i-ખેડૂત' (i-Khedut) પોર્ટલ દ્વારા માહિતી મળે છે.
- ગ્રામસેવક: દરેક ગામમાં ગ્રામસેવક દ્વારા ખેડૂતોને નવી માહિતી અપાય છે.
- યુનિવર્સિટી: ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે.
"જૂના કોસ ને રહેંટ ભૂલી ગયા,
નવા પંપ ને ટ્રેક્ટર લાવી ગયા.
DAP ને યુરિયા ખેતરમાં નાખે,
મોબાઈલમાં SMS કિસાન વાંચે!
દાંતીવાડા ને જૂનાગઢમાં યુનિવર્સિટી બની,
ખેતી હવે તો હાઈટેક બની!"
B સંસ્થાકીય સુધારા (Institutional Reforms)
સરકાર દ્વારા જમીન માલિકી, ધિરાણ અને પેદાશના વેચાણ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા તેને સંસ્થાકીય સુધારા કહેવાય.
- જમીન સુધારા: સરકારે 'જમીનદારી પ્રથા' નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું.
"ખેડે તેની જમીન" ના કાયદા દ્વારા ખેડૂતોને જમીન માલિકીનો સાચો હક મળ્યો. - જમીન ટોચ મર્યાદા: કોઈ એક વ્યક્તિ પાસે ખૂબ વધારે જમીન ન રહે તે માટે જમીન માલિકીની મર્યાદા નક્કી કરી.
- કિસાન ક્રેડિટ કાર્ડ (KCC): ખેડૂતોને પાક લેવા માટે સસ્તી લોન મળે તે માટે આ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા મદદ કરવામાં આવે છે.
- પાક વીમો: જો દુષ્કાળ પડે કે વધુ વરસાદથી પાક નિષ્ફળ જાય, તો સરકાર 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' દ્વારા આર્થિક મદદ કરે છે.
- માર્કેટ યાર્ડ: ખેડૂતો પોતાની પેદાશ હરાજીથી વેચી શકે તે માટે માર્કેટ યાર્ડ (APMC) ની વ્યવસ્થા કરી.
- ક્ષેત્રિય ગ્રામીણ બેંકો: ગામડામાં જ બેંકિંગ સુવિધા મળે તે માટે.
પૈસા આપ્યા (લોન),
રક્ષણ આપ્યું (વીમો),
અને વેચવાની જગ્યા આપી (માર્કેટ યાર્ડ)."
C હરિયાળી ક્રાંતિ (Green Revolution)
બિયારણ, ખાતર અને સિંચાઈના પ્રચંડ ઉપયોગથી અનાજના ઉત્પાદનમાં જે રેકોર્ડબ્રેક વધારો થયો તેને 'હરિયાળી ક્રાંતિ' કહે છે.
- મુખ્ય ઉદ્દેશ્ય: કૃષિ ઉપજમાં વધારો કરવો.
- ખેડૂતોને સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરો સસ્તા ભાવે આપવામાં આવ્યા.
- પરિણામે, ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં વિક્રમજનક વધારો થયો.
- જ્યાં પહેલાં અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના ભંડારો ભરેલા છે.
- રોકડિયા પાકો: હવે ખેડૂતો રોકડિયા પાકો તરફ વળ્યા હોવાથી કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર ઘટ્યું છે.
D રાષ્ટ્રીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન
- દેશના લગભગ અડધા (50% જેટલા) લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે.
- કુલ ઘરેલું પેદાશ (GDP) માં કૃષિનો હિસ્સો લગભગ 17% જેટલો છે.
- ભારત ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાકાના ઉત્પાદનમાં વિશ્વમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.
- ખેતીની પેદાશોની નિકાસથી દેશને વિદેશી હુંડિયામણ (Foreign Currency) મળે છે.
E અનાજ સંરક્ષણ (Food Security)
કોઈ પણ દેશ માટે અનાજની સુરક્ષા જરૂરી છે. આજે ભારત અનાજ ક્ષેત્રે 'સ્વાવલંબી' બન્યું છે.
સરકારે ગોદામોમાં લાખો ટન અનાજ સાચવ્યું છે, જેથી દુષ્કાળ સમયે ગરીબોને સસ્તા ભાવે અનાજ આપી શકાય. આને 'બફર સ્ટોક' કહેવાય છે.
સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (30 પ્રશ્નો)
નીચેના પ્રશ્નોના સાચા જવાબ પસંદ કરો.